Motivational Story 162
------------------------------------------------------- શાશ્વતી મહાપ્રભાવી નવપદજીની ઓળીના ચોથા દિવસે એટલે કે ઉપાધ્યાય પદના દિવસે પૂ.ગુરૂદેવશ્રી લિખિત વિશેષ લેખ. ------------------------------------------------------- વર્ષો પહેલા બનેલી એક સત્યઘટના. ના.. ના.. દુર્ઘટના! ▪️ એ સમયે જૈન માત્રની આસ્થાના કેન્દ્ર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની મૂર્તિને એક અભિમાની, લાલચુ ને નઠારા ઠાકુરે એક લોખંડના પટારામાં મૂકીને પટારાને ખંભાતી તાળા મારી દીધા, જેથી કોઈ દાદાના દર્શન ન કરી શકે. ને જેને કરવા હોય તે ઠાકુરને રીઝવે ને રૂપિયા ગજવે દે તેને જ ઠાકુર દર્શન કરાવે, બાકીનાને દર્શન સદંતર બંધ. ▪️ ઘણો સમય આ રીતે પસાર થયો. સાધુ-સાધ્વીજીને તો દર્શન ઔર દુર્લભ થયા. ઘણાએ ઠાકુરને સમજાવ્યા, નૈવેદ્ય ધર્યા. પણ.. અભિમાની એ એકનો બે ન થયો. ભારતભરમાં દાદાના ભક્તો ઉદાસ હતા. એમાં એક દિવસ એક ઓલીયા આત્મજ્ઞાની ને પ્રભુના અનોખા ભક્ત સંત આવ્યા. ▪️ એમણે ઠાકુરને કહ્યું, "અમને દાદાના દર્શન કરાવો.'' ખબર નહિં તે દિવસે ઠાકુરના ભેજામાં શું ભરાયું હશે કે એણે ધરાર ઘસીને ના પાડી દીધી. આ પ્રભાવિક ને ભાવિક સંતે કહ્યું, "ભાઈ!